યુવકે હાઈડ્રોજન સંચાલિત કાર બનાવી, માત્ર રૂ. 150ના ખર્ચે ચાલશે 250 કિમી સુધી
માત્ર ભારતમાં જ નહીં પરંતુ આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે વાહનવ્યવહાર મોંઘો થયો છે. દેશમાં વાહનોનું વેચાણ વધી રહ્યું છે, લોકલ ટ્રાન્સપોર્ટના અભાવે લોકો ઘરમાં જેટલા સભ્યો છે તેટલા વાહનો ખરીદી રહ્યા છે.
આ દિવસોમાં, વિશ્વભરમાં પેટ્રોલ-ડીઝલ સિવાય, વાહનો ચલાવવા માટે અન્ય ઇંધણ વિકલ્પો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
રૂ. 25 લાખના ખર્ચે સોનિક વન કાર તૈયાર કરી
યવતમાળના વાણીમાં રહેતો મિકેનિકલ એન્જિનિયર હર્ષલે હાઇડ્રોજન સંચાલિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિયંત્રિત કાર બનાવી છે જે 250 કિલોમીટર ચાલે છે. હર્ષલે તેના બાળપણના મિત્રો સાથે મળીને આ કાર ડિઝાઇન કરી છે. તેને સોનિક વન નામ આપવામાં આવ્યું છે. આ કાર સંપૂર્ણપણે ભારતમાં બનાવવામાં આવી છે.હર્ષલે હાઈડ્રોજનથી ચાલતી કાર બનાવવા માટે ₹25 લાખનું રોકાણ કર્યું છે.
મહત્તમ સ્પીડ 200 kmph
હર્ષલે હાઇડ્રોજન કાર બનાવવા માટે વર્કશોપ બનાવ્યો અને તેમાં આ કાર ડિઝાઈન કરી હતી. આ કારને એક લિટર લિક્વિડ હાઇડ્રોજન વડે 250 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. હાલમાં 1 લીટર લિક્વિડ હાઇડ્રોજનની કિંમત ₹150ની આસપાસ છે. સોનિક વન કાર પિકઅપની બાબતમાં પેટ્રોલ ડીઝલ એન્જિનવાળી કાર કરતાં વધુ સારી છે અને તેની ટોપ સ્પીડ 200 kmph સુધી છે.
દેશના કાર બજારમાં પ્રવેશવા માટે AI કાર નામની કંપની પણ બનાવી છે.
આ કંપનીના ફાઉન્ડર અને સીઈઓ હર્ષલે કહ્યું, “જો રેગ્યુલેટર અને સરકાર તરફથી સમયસર મંજૂરી મળે તો સોનિક વન કારની ડિલિવરી 2024 સુધીમાં શરૂ થઈ શકે છે.” નીતિન ગડકરીએ હાઈડ્રોજન કાર બનાવવામાં તમામ પ્રકારની મદદ માટે ખાતરી આપી છે.
નાગપુરની રાયસોની કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરની ડિગ્રી લેનાર હર્ષલે બાળપણના મિત્રો દાનિશ, કુણાલ અને પ્રજ્વલ સાથે મળીને આ કંપની શરૂ કરી હતી. આ તમામ લોકોએ કાર બનાવવા સંબંધિત અભ્યાસ કર્યો છે અને કારના રિસર્ચ માટે જરૂરી કૌશલ્યો એકત્ર કર્યા છે.
- રાધનપુર-બાલાસર એસટી બસ 15 દિવસથી બંધ થતાં મુસાફરોને ભારે હાલાકી…
- લોકાર્પણથી લઈને અત્યાર સુધીમાં ૧૧ લાખ જેટલા મુલાકાતીઓએ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી
- હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુ ના ભરડામાં સપડાયો – ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ
- ૧૬૦થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી તા. ૧૧ નવેમ્બરના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે
- પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ભગવાન શ્રી પદ્મનાભજીના સપ્તરાત્રી મેળા પૂર્વે માટીના ક્યારાઓની મરામત કામગીરી હાથ ધરાઈ